Abtak Media Google News

આઈએસની મુખ્ય નજર હિન્દુ નેતાઓ: ચોંકાવનારો ખુલાસો કરતા આતંકી મોઈનુદ્દીન પરખા દાવત

હાલ ખતરનાક આતંકી સંગઠન આઈએસનો આતંકી મોઈનુદ્દીન પરખાદાવત કેરેલામાંથી ઝડપાયો છે. તેણે નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સી (એનઆઈએ)ને ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હવે આઈએસની મુખ્ય નજર હિન્દુ નેતાઓ છે. ઈસ્લામીક સ્ટેટ ભારત દેશના ખુણે-ખુણે સક્રિય ઈ રહ્યું છે. ત્યારે કેરેલામાંથી ઝડપાયેલા આતંકીના ખુલાસાથી સુરક્ષા એજન્સીઓ સજ્જ થઈ ચુકયું છે.

અહમદીયા અને જમાત એ ઈસ્લામી સંગઠનને આઈએસની ગતિવિધિઓમાં એક સુર પુરાવ્યો હતો અને આઈએસ દ્વારા ભારતના અનેક સ્ળોએ પોતાનો ટાર્ગેટ શોધી તેમની આતંકીય સાઝીસને અંજામ આપવાનો પ્રયત્ન કરાતો હતો.

મોઈનુદ્દીન પોતાના પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, કોચીમાં આવેલું જેવીસ ટેમ્પલ તેમનો મુખ્ય ટાર્ગેટ હતો અને તે હુમલા માટે તેઓ બાઈકનો ઉપયોગ કરવાના હતા. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેની સો સાઝીર અબ્દુલા નામનો આતંકી પણ સામીલ છે પરંતુ તે હાલ સુરક્ષા એજન્સીના કબજામાં નથી આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.