Abtak Media Google News

રાજકોટ શહેરના રાજનગર અને આસ્થા ચોકડી પાસેના સર્કલ ખાતે મુકવામાં આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ મુદ્દે સંબંધિત જનસમુદાય અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે સુખદ સમાધાન થયું છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

Advertisement

કમિશનરશ્રીએ વિશેષમાં એમ કહ્યું હતું કે, આગામી પાંચ દિવસ પછી સંબંધિત જનસમુદાય ઉપરોક્ત બે પૈકી કોઈ એક સર્કલ પર ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા અંગેનો નિર્ણય કરી રાજકોટ મહાનગરપાલિકાને જાણ કરશે અને ત્યારબાદ પુરા આદર સત્કાર સાથે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એ સર્કલ ખાતે સ્થાપિત કરવામાં આવશે અને અન્ય સર્કલ પુન: મહાનગરપાલિકાને સુપરત કરી દેવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી વગર ક્યાંય પ્રતિમા નહી મુકવાની પણ તેઓએ તંત્રને ખાતરી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.