દ્વારકામાં માંગરોળની પરિણીતા પર દુષ્કર્મ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર નજીક ખુશાલનગરમાં માંગરોળના નાદરકી ગામની પરિણીતા પર ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યાની પોલીસ ચોપડે બનાવ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના નાદરકી ગામે રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ દ્વારકાના રૂપેણ બંદરના ખુશાલનગરમાં રહેતા ત્રણ શખ્સો સામે બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર ફરિયાદીના પતિ રૂપેણ બંદરે માચ્છીમારી કરવા આવ્યા હોય તેને મળવા માટે પત્ની આવી હોય ત્યારે પતિ સો સંપર્ક ન તા આરોપીએ પરિણીતાને આશરો આપ્યો હતો.

આરોપીએ પોતાના મકાનમાં આશરો આપ્યા બાદ મિત્રોને બોલાવી પરિણીતા સાથે અભદ્ર ટીપ્પણી કરી પરિણીતા મકાન માલિકને તાળે ન થતા બળજબરીથી મિત્રોની મદદથી દુષ્કર્મ આચર્યુ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

બાદ ભોગ બનનાર પરિણીતાએ દ્વારકા પોલીસ મકે ધસી જઈ આશરો આપનાર મકાન માલિક સહિત ત્રણ શખ્સો સામે શરીર સબંધી ગુનો નોંધી ધરપકડ કરવા પી.એસ.આઈ. પી.એલ.ચૌધરી સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.