Abtak Media Google News

 અબડાસા સમાચાર

Website Template Original File1 32

અબડાસા સનાતન ધર્મ હિન્દુ સમાજ દ્વારા પરમ પુજ્ય ઇન્દ્રભારતી મહારાજ  વિરુદ્ધ  અભદ્ર ભાષામાં કરેલ વ્યવહાર અંગે  પી.કે પીઠડીયા વિરુદ્ધ અબડાસાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .

Screenshot 9 2

જેમાં અબડાસાના સનાતન  હિન્દુ સમાજના ભાઈઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્દ્ર ભારતી મહારાજ એક સંત છે સાધુ સમાજના રત્ન છે અનેક સેવક વર્ગ ધરાવતા પરમ પૂજ્ય સંત છે અને અમારા ગુરુ મહારાજ છે. એમના વિરુદ્ધ કોઈપણ પ્રકારના અભદ્ર વ્યવહાર કરશે  તો અબડાસાના સૌ સનાતની ભાઈઓ કાયદેસર કાર્યવાહી કરશે .

સનાતની સંતો ઉપર જે ટાર્ગેટ કરવામાં આવે છે તે ટાર્ગેટ ન થાય અને સનાતની સમાજ સંતોને માનવા વાળો સમાજ છે .પૂજ્ય બાપુ   સનાતન ધર્મની  સેવા કરી રહ્યા છે.

Screenshot 8 2

જે અંતર્ગત અબડાસાના સનાતની ભાઈઓ દ્વારા અબડાસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં  ગિરિરાજસિંહ  જાડેજા ,, માજી તાલુકા પંચાયત સદસ્ય અબડાસા તેમજ તાલુકાના વિવિધ સનાતન ધર્મ સમાજના આગેવાનો તથા વિવિધ ગામોના સરપંચો સાથે રહેલા હતા.

રમેશભાઈ ભાનુશાલી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.