Abtak Media Google News

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના મોલાનાએ ધાર્મિક લાગણી દુભાય અને વર્ગવિગ્રહ થાય તેવું ન્યુઝ ચેનલમાં ઈન્ટરવ્યું આપ્યું હતુ

સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલા બાર જયોતિલીંગ  પૈકીના સોમનાથ મહાદેવ અંગે ઓલ ઈન્ડિયા ઈમામ   એસોસીએશનના મોલાનાએ  કરેલી અભદ્ર અને ઉશ્કેરણી જનક ટીપણીના કારણે કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દૂભાતા મોલાના સામે વર્ગવિગ્રહ  થાય તેવું  કૃત્ય કર્યા અંગેનો ગુનો નોંધી પ્રભાસ પાટણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઈ તારીખ 23 1 2023 ના રોજ એક ખાનગી ન્યુઝ ચેનલ ભારત વર્ષ તેમજ ગુજરાતી મા મોલાના મોહમ્મદ સાજીદ રસીદી પ્રમુખ ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશન વાળાએ ઇન્ટરવ્યૂ દરમિયાન સોમનાથ મંદિર વિશે અદતન ખોટા અભદ્ર અને ઉશ્કેરીણી જનક નિવેદન આપેલ જેમાં સોમનાથ મંદિર આસ્થાના નામ પર દેવી-દેવતાઓના નામે છોકરીઓને ગુમ કરવામાં આવતી હતી  જેવી અભદ્ર ઉશ્કેરની જનક તથા ખોટી ટિપ્પણીઓ કરેલ તેમજ ગજનવીએ આ સોમનાથ મંદિરને તોડલુ નથી પરંતુ ત્યાં આસ્થા તેમજ દેવી-દેવતાઓના નામે ચાલતા ખરાબ કામોને ખતમ કરવાનું કામ કર્યું હતું આવા ઉશ્કેરની જનક કથનો કરતું ઇન્ટરવ્યૂ આપી હિન્દુ ધર્મની લાગણી દુબઈ તેવા શબ્દો ઉચ્ચેરી બે ધર્મ કોમ વચ્ચે હુલ્લડ ફાટી નીકળે તેવા કથનો કરેલ હોય જેથી આવા ગંભીર બનાવ અંગે ત્વ રીત કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જ આઈ જી પી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ એસ પી મનોહરસિંહ જાડેજા ડીવાયએસપીવીઆર ખેંગાર દ્વારા જરૂરી માર્ગદર્શન અને કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલ અને આ વિવાદિત કથનો કરનાર મૌલાના મહમદ સાજીદ સિદ્દીકી પ્રમુખ ઓલ ઇન્ડિયાએમામ એસોસિએશન વિરુદ્ધ ફરિયાદી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ તખતસિંહ ચાવડા ના એ આઇ પી સી

કલમ 153(ક) તથા 295 (ક) 298.505 (2) મુજબ ઉપરકત બનાવો બાબતે ફરિયાદ આપતા ફરિયાદ નોંધવામાં  આવી છે. ફરિયાદના આધારે પ્રભાત પાટણ સોમનાથ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો જેની તપાસ પ્રભાસ પાટણ સોમનાથ પોલીસ સ્ટેશન પીઆઇ એસ પી ગોહિલ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.