Abtak Media Google News
  • આદિ અને નાદિર ગોદરેજને પાંચ લિસ્ટેડ કંપનીઓ મળી, જ્યારે પિતરાઈ ભાઈ જમશેદ અને બહેન સ્મિતાને અનલિસ્ટેડ કંપની અને મુંબઈની મિલકતો મળી

127 વર્ષ જુના ગોદરેજ જૂથને બે ભાગમાં વિભાજીત કરવા માટે સમજૂતી કરવામાં આવી છે. આ કરાર હેઠળ, એક ભાગ 82 વર્ષના આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને મળ્યો છે જ્યારે બીજો ભાગ પિતરાઈ ભાઈ જમશેદ અને બહેન સ્મિતા ગોદરેજને મળ્યો છે.આદિ અને નાદિર ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે, જેમની પાસે પાંચ લિસ્ટેડ કંપનીઓ છે. જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બોયસની લેન્ડ બેંક અને મુંબઈમાં તેની સંલગ્ન મુખ્ય સંપત્તિ વારસામાં મળી છે.

Advertisement

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપમાં લિસ્ટેડ કંપનીઓ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સિસ છે. તેના અધ્યક્ષ નાદિર ગોદરેજ હશે અને તેનું નિયંત્રણ આદિ ગોદરેજ, નાદિર અને પરિવાર દ્વારા કરવામાં આવશે. આદિના 42 વર્ષીય પુત્ર પીરોજશા ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હશે. તેઓ ઓગસ્ટ 2026માં નાદિરનું સ્થાન લેશે.

બીજી તરફ, ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપમાં ગોદરેજ એન્ડ બોયસ અને તેના સહયોગીઓનો સમાવેશ થાય છે, જે એરોસ્પેસ અને એવિએશનથી લઈને સંરક્ષણ, ફર્નિચર અને આઈટી સોફ્ટવેર સુધીના બહુવિધ ઉદ્યોગોમાં હાજરી ધરાવે છે. તેનું નિયંત્રણ જમશેદ ગોદરેજ પ્રમુખ અને એમડી તરીકે કરશે. તેની બહેન સ્મિતાની 42 વર્ષીય પુત્રી ન્યારીકા હોલકર તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હશે. આ જ જૂથની મુંબઈમાં 3,400 એકરની લેન્ડ બેંક પણ છે. ગ્રુપની કુલ કિંમત 2.34 લાખ કરોડ રૂપિયા છે.

ગોદરેજ ગ્રુપના વિભાજનની પ્રક્રિયા 3 વર્ષથી ચાલી રહી હતી. હવે વિભાજન બાદ પરિવારના સભ્યો એકબીજાની કંપનીમાં પોતાનો હિસ્સો વેચીને ચાલ્યા જશે. આદિ અને નાદિર ગોદરેજે આ વર્ષની શરૂઆતમાં ગોદરેજ એન્ડ બોયસના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું, જ્યારે જમશેદ ગોદરેજે જીસીપીએલ અને ગોદરેજ પ્રોપર્ટીઝના બોર્ડ પરની બેઠકો છોડી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ જૂથની સ્થાપના 1897માં અરદેશિર ગોદરેજ અને પીરોજશા બુર્જોરજી ગોદરેજ દ્વારા કરવામાં આવી હતી. ગ્રુપની કુલ કિંમત 2.34 લાખ કરોડ રૂપિયા છે.ગોદરેજ ગ્રૂપના સ્થાપક અરદેશિર ગોદરેજે 3,000 રૂપિયાથી સર્જરી બ્લેડનો પહેલો બિઝનેસ શરૂ કર્યો, જે ઉપડી શક્યો નહીં. ગોદરેજ ‘મેડ ઈન ઈન્ડિયા’ લખાવવા માટે અંગ્રેજો સાથે મક્કમ બન્યા હતા.

અરદેશર ગોદરેજનો પહેલો ધંધો અટકી જવા છતાં તેમણે હાર માની નહીં. એક દિવસ અખબાર વાંચતી વખતે એક સમાચાર તેની નજરે ચડી. આ સમાચાર બોમ્બેમાં થયેલી ચોરીની ઘટનાઓ સાથે સંબંધિત હતા. બોમ્બે પોલીસ કમિશનરે લોકોને તેમના ઘર અને ઓફિસની સુરક્ષામાં સુધારો કરવા જણાવ્યું હતું. બસ આ સમાચાર સાથે જ અરદેશરના મગજમાં તાળાઓ બનાવવાનો વિચાર આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.