Abtak Media Google News

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે રખડતા શ્વાને એક ચાર વર્ષના માસુમ બાળક પણ જીવલેણ હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે ઈશ્ર્વર પરમાર નામનો એક ચાર વર્ષનો બાળક વિશ્વાસ પરમાર જેને રખડતા શ્વાને હુમલો કરતા બાળકને બચકા ભરી લીધા હતા અને બાળકને મોઢા પર અને આંખોમાં ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક જામનગરની જી જી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારમાં પણ તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

બાળકને મોઢા પર અને આંખોમાં ગંભીર ઇજા પહોંચતા જી.જી.હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો

જોકે શહેર કક્ષા બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને નાના બાળકોથી લઇ અનેક લોકો તેનો શિકાર થઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેના પગલે લોકોમાં પણ હવે રખડતા શ્વાનને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.