Abtak Media Google News

રણમલ તળાવ ખાતે પુરાતત્વીય સંગ્રહાલયમાં કાલ સુધી ર4 બેનમુન ચિત્રનું પ્રદર્શન ચાલુ રહેશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજયનાd રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.23 થી તા.26 ફેબ્રુઆરી સુધી “પોટ્રેઇટ એક્શિબિશન” નુ આયોજન કરવામાં આવ્યુ છે. જે એક્સિબિશનનુ ઉદઘાટન સિનિયર આર્ટીસ્ટ અરુણભાઇ જોશી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ એક્ઝીબિશનમાં જામનગરના કલાકારો દ્વારા કુલ 24 જેટલા બેનમૂન  પેઇન્ટીંગસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્ઝીબિશનમાં શાળાનાં વિદ્યાથીઓ સહીત તમામ ઉંમરના કલાકારો સહભાગી થયા છે. જેમાં જામનગરના કલાકાર રાજુ રાઠોડ દ્વારા સોનાના વરખ અને પાવડર કલરનો ઉપયોગ કરી માદરપટ્ટા કાપડ પર બાનાવવામાં આવેલ જામ રણજિતસિંહજીનું પોટ્રેઇટમાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Advertisement

તદુપરાંત સિનિયર આર્ટીસ્ટ ઇન્દુભાઇ સોલંકી દ્વારા રવિ વર્મા, એલ.સી.સોની, વોરા ધર્મગુરુ, પ્રમુખસ્વામી મહારાજ, જગદીશ મહારાજ, કબિર આશ્રમ સહીતના પોટ્રેઇટ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. ગીતા રાઠોડ દ્વારા હેપિનેશ પોટ્રેઇટ પ્રદર્શિત કરાયા છે જે મુખ્યત્વે પેપર પર કલર પેન્સિલથી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત બાતુલ સરોડીવાલા દ્વારા કલર પેન્સિલથી ભગતસિંહનું પોટ્રેઇટ અને ફાતિમા યુશુફ મોદી દ્વારા કેનવાસ પર ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું પોટ્રેઇટ બનાવાયુ છે  સ્વેતા કાનિયા અને  દીપા કિશોર દ્વારા પેન્સિલ પોટ્રેઇટ સ્કેચના માધ્યમથી બનાવ્યુ છે. સ્નેહા મેહતા દ્વારા સોફ્ટ પેસ્ટલ કલર દ્વારા કપલ પોટ્રેઇટ પ્રદર્શનમાં મુક્યુ છે. અમિતભાઇ અમૃતિયા દ્વારા ડોટ વર્ક દ્વારા બુધ્ધ ભગવાનનું પોટ્રેઇટ પેન્સિલ દ્વારા બનાવેલ છે. આ એક્સિબિશનનું આયોજન તા.23 થી 26 ફેબ્રુઆરી, 2023 સુધી કરવામાં આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરના ક્યુરેટર ડો.ધીરજ વાય. ચૌધરી દ્વારા જામનગરના આર્ટીસ્ટો અને તેમની કલાને પ્રોત્સાહન મળે તેમજ તેઓની કલા લોકો સુધી પહોંચાડી લોકો પણ કલા વિશે જાગૃત બને તે ઉદેશ્યથી દર મહીનાના છેલ્લા અઠવાડિયે આ પ્રકારના વિશેષ એક્ઝીબિશનનુ આયોજન કરવામાં આવે છે. અને જામનગરની કલા રસિક જનતાને આ એક્સિબિશન નિહાળવા આમંત્રિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.