ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે રાજકોટના સર્વેશ્ર્વર ચોક ખાતે પ્રથમ વાર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ભગવાન ગણેશની ખુબ જ સુંદર મૂર્તિના દર્શન કરવા ભાવિકો ઉમટી પડયા હતા. તેમજ રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરો, નાટક, ડી.જે.દાંડીયા જેવા મનોરંજનનું આયોજન કરવામાં આવશે. સર્વેશ્ર્વર ચોક ગ્રુપમાં આયોજક અતુલ કોઠારીએ જણાવ્યું હતું કે, તેમણે પહેલીવાર ગણપતિ સ્થાપના સર્વેશ્ર્વર ચોક ખાતે કરી છે અને ખુબ જ મોટી મુર્તિ છે સાક્ષાત ગણપતિ બિરાજમાન હોય તેવો અહેસાસ કરાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૧૧ દિવસ સુધી સતત સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે. જેવી રીતે મુંબઇમાં ‘લાલ બાગ કા રાજા’ છે એ રીતે ‘સર્વેશ્ર્વર ચોક કા રાજા’ પણ પ્રસિઘ્ધ થાય બને માટે તેમણે બધા મળીને તન મન ધન સાથે આ કાર્યક્રમમાં આયોજનમાં મહેનત કરી છે. તેમના ગણપતિની આરતીમાં વિશેષ તેમણે લાઈવ વાદન દ્વારા કર્યું હતું
Trending
- NOAAએ એક ખતરનાક તોફાનની આગાહી કરી, જેની પૃથ્વી પર કેવી અસર થશે ??
- બમ્પર ઓફર સાથે Jioનો નવો પ્લાન લૉન્ચ
- અબ્દુલ સાંધ મર્ડર કેસમાં કુખ્યાત રફીક અને જિહાલ સાંધની ગોળી મારી હત્યા
- આ ટિપ્સથી તમારા પાર્ટનર ગમે તેટલા ગુસ્સામાં હશે તો પણ તે માફી માંગશે
- બિગ બોસથી લોકપ્રિય બનનાર અબ્દુ રોજિક અમીરાએ કરી સગાઈ
- ધો. 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!