Abtak Media Google News

તારીખ 3ના રાત્રિથી પરોઢ સુધી ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે, કલાકની 15 થી 100 ઉલ્કાઓ સ્પષ્ટ પડતી જોવા મળશે: આકાશમાં દિવાળીના ફટાકડાની રોમાચંક આતશબાજી જોવા મળશે

દુનિયાભરમાં લોકોએ ડિસેમ્બરમાં જેમીનીડસ-ઉર્સિડ્સ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજરો નિહાળ્યો હતો. તા. 3 જી જાન્યુઆરીએ ક્વોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ પડતી જોવા મળશે. વિશ્ર્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દિરયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદ્ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. ગુજરાતમાં તા. 3 ના રોજ આકાશમાં ઉલ્કાવર્ષા રાત્રિથી પરોઢ સુધી ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે.

જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે જાન્યુઆરી 1 થી 4 – ચાર દિવસ સુધી આકાશમાં ક્વોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.3 અને 4 ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 1પ થી 100 અને વધુમાં વધુ એક્સો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. હવે પછી ઉલ્કાની તેજસ્વીતા ઓછી હોવાના કારણે ખગોળની ભાષામાં વેકેશન જેવું હોય છે. તેજસ્વીતા ઓછી હોવાના કારણે નરી આંખે જોઈ શકાતી નથી.

વધુમાં પંડયા જણાવે છે કે ક્વોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન 10 થી 1ર વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જોવા મળે છે.

જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે, તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવગઢ, ગોધરા વિગેરે નાના-મોટા નગરોમાં એક દિવસીય મધ્યરાત્રિ – પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.

રાજ્યમાં પોતાના વિસ્તારમાં નિર્જન જગ્યામાં તા.3ના રોજ રાત્રિના ઉલ્કાવર્ષા નિહાળવાની ઉત્તમ તક છે.ક્વોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના અશ્ર્વિન કુંગશીયા, નિર્મળ મેત્રા, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, વિનુભાઈ ઉપાધ્યાય, કાર્તિક ભટ્ટ,  રોમિત રાજદેવ, અનેક સદસ્યો ભાગ લેવાના છે.રાજ્યમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : 98રપર 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.