ભાવનગરથી માંડીને ગીર સુધીનાં તમામ જિલ્લાઓમાં ફરતા સિંહોનાં ગૃપો હવે વનવિભાગની નજર હેઠળ આવી ગયા છે. એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો કોલર પહેરાવી દેવાની કામગીરી પૂરી થઇ ગઇ છે. આ રેડિયો કોલર અંગે સીસીએફ વસાવડા કહે છે, આ સાવજોનું મોનિટરિંગ જ્યાં થાય છે એ સેન્ટર સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. એજ રીતે સિંહના ગળામાં રહેલું રેડિયો કોલર પણ સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. જ્યારે સેટેલાઇટ ગીર પરથી પસાર થાય ત્યારે તે આ રેડિયો કોલરનું સ્થાન ડીટેક્ટ કરે. આ વખતે રેડિયો કોલરમાં જે ટાઇમર ગોઠવેલું હોય એ સમયે રેડિયો કોલર પણ પોતાનું લોકેશન દર્શાવતું સીગ્નલ સેટેલાઇટને મોકલે. એ રીતે રેડિયો કોલર થકી સિંહનાં આખા ગૃપનું સ્થાન જેતે સમયે ક્યાં છે એ નક્કી થાય.
Trending
- અમદાવાદમાં સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
- તેજસ્વી પ્રકાશની અદાએ ચાર ચાંદ લગાવ્યા
- કિડનીની પથરીથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરગથ્થુ વસ્તુઓનું સેવન
- જસદણના ગોખલાણામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
- મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગબલી બધી સમસ્યાઓ દૂર કરશે
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે
- બાબા રામદેવને મોટો ફટકો : પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય