Abtak Media Google News

કાલાવડ રોડ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે પૂ. અપૂર્વમૂનિ સ્વામી વકતવ્ય આપશે: સમાજ શ્રેષ્ઠીઓ ‘અબતક’ના આંગણે

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે આહિર સમાજનો પ્રેરણા સમારોહ આગામી તા.૩૧ના રોજ બુધવારે સાંજે ૭ કલાકે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. મુખ્ય વકતાપદે પૂ. અપૂર્વમૂનિ સ્વામી માર્ગદર્શન આપશે.

આધુનિક વિશ્ર્વમાં માનવીએ દરેક ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે. પરંતુ સંબંધોમાં તિરાડો ઉભી કરી છે. યુવા પેઢીના સંસ્કારોનું પતન કર્યું છે.

ટેકનોલોજીની મદદથી દુનિયાના બે સ્થળો વચ્ચેનું અંતર ઘટાડયું પરંતુ પરિવારના સભ્યો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ત્યારે પરિવારને સંપ, એકતા અને શાંતિ દ્વારા આદર્શ પરિવાર કઈ રીતે બનાવી શકાય ? તે વિષયે ઉંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા કરી. પૂ. અપુર્વમૂનિ સ્વામી આહિર સમાજને માહિતગાર કરશે. ‘મારો પરિવા…સુખી પરિવાર’ વિષયે સુંદર વકતવ્ય દ્વારા સુખી જીવનશૈલીનો રાજમાર્ગ બતાવશે.

આ સમારોહમાં સમાજના સર્વે પરિવારને હાજરી આપવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મલે તે હેતુથી સમાજના અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.