Abtak Media Google News

દિલ્હીમાં જે વિડિયો સૌની સામે આવ્યો છે અને કેજરીવાલ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તે હિન્દુ ધર્મને અપમાનિત કરવાનું છે અને તે ખરેખર કેજરીવાલના એન્ટી હિન્દુ માઈન્ડસેટને દર્શાવે છે

મંત્રી અરવિંદ રૈયાણીએ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે કેજરીવાલના મંત્રી રાજેન્દ્ર પાલ ગોતમ દ્વારા જે શબ્દો ત્યાં બોલવામાં આવ્યા તે આ પ્રમાણે છે, હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્ર્વર નહી માનું અને ક્યારે તેમનું પૂજન કરીશ નહીં, હું રામ અને કૃષ્ણને ઈશ્ર્વર નહીં માનું અને એમનું પણ પૂજન કયારે કરીશ નહીં, હું ગૌરી ગણપતિ જેવા હિન્દુ ધર્મના કોઈપણ દેવી-દેવતાઓને નહીં માનું અને તેમની પૂજા નહીં કરું. આ બોલ ભલેને તેમના મંત્રીના છે પરંતુ આ શબ્દો એ હિંદુ વિરોધી અરવિંદ કેજરીવાલના છે. કેજરીવાલ પોતાને હનુમાન ભક્ત કે કૃષ્ણ ભક્ત બતાવી રહ્યા છે પરંતુ તેમની સાચી અસલિયત પ્રજા સમક્ષ ખુલ્લી પડી રહી છે.

Img 20221008 Wa0004

આ પહેલી વખત નથી કે જ્યારે કેજરીવાલે હિન્દુ ધર્મને ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનું કામ કર્યું હોય કે સનાતન ધર્મને નીચા દેખાડવાનું કામ કર્યું હોય. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે કેવી રીતે વિધાનસભામાં કાશ્મીરી પંડિતો અને હિન્દુઓની વેદનાની મજાક તેમણે ઉડાડી હતી તે આપણને સૌને યાદ આવે છે અને એ જ નહીં દિલ્હીમાં કાશ્મીરી હિન્દુઓની નોકરી પર રોક લગાવવા માટેના બધા જ પ્રયાસો કેજરીવાલે કર્યા અને તે માટે કેજરીવાલ સરકારે કોર્ટમાં પણ ગુહાર લગાડી. ભારત દેશમાં કરોડો-કરોડો હિન્દુઓની આસ્થા ભગવાન શ્રીરામ અને રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલ છે ત્યારે આ કેજરીવાલ અને તેમની પૂરી ટીમ રામ મંદિરનું નિર્માણ ન થાય તેવા તમામ પ્રયાસો કર્યા કેજરીવાલે નાનીનું નામ લઇ રામ મંદિરનું નિર્માણ ન થાય તેના બધા પ્રયાસો કર્યા પરંતુ તમામ બાધાઓની સામે પણ રામ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ તો તેને યેન કેન પ્રકારે બદનામ કરવા માટે કોઈ જ કસર કેજરીવાલે છોડી નહીં.

જે સમયે ષક્ષીની ટુકડે ટુકડે ગેંગ દ્વારા એન્ટી ઇન્ડિયા માટે નારા લાગતા હતા તે સમયે કેજરીવાલ આ ટુકડે ટુકડે ગેંગની સમર્થનમાં તેમની સાથે ઊભા રહ્યા એટલું જ નહીં કેજરીવાલ પોતાની જાતને ભગવાનના ભક્ત કહે છે પરંતુ તેમના એક ટ્વિટ્માં કેવી રીતે શ્રી હનુમાનજીનું મજાક ઉડાડ્યું તે આપણે સૌએ જોયું છે. તમામ પ્રકારના હિન્દુઓની આસ્થાના પ્રતીક ચિન્હ સ્વસ્તિકનું પણ તેમને મજાક ઉડાડ્યું તે દેશની પ્રજા ભૂલી નથી. દિલ્હીમાં જે પ્રકારે દંગા થયા અને તેમના નેતા તાહીર હુસેનની સંડોવણી તેમાં જે રીતે ખુલીને સામે આવી એટલે ધ્યાનમાં પડ્યું કે કેવી રીતે તાહીર હુસેન હિન્દુઓને ભીંસમાં લેવા માંગે છે અને કેવી રીતે દંગાનું આયોજન કર્યું તાહીર હુસેન આ મામલે આજે પણ જેલમાં છે.

આવી અર્બન નક્સલી વિચારધારા ધરાવતા અને ખાલીસ્તાનના સમર્થક કેજરીવાલની વિચારધારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ પર નશાની જેમ માથામાં ચઢી ગઈ છે. ગાળા ગાળી કરવી, ધર્મ વિરુદ્ધ બોલવું, શાંતિ ડહોળવી, ભાંગ- તોડ કરવી તે જ માત્રને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓની લાયકાત બની ગઈ છે. જેવી રીતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા માટેના એલફેલ નિવેદન કરતા વિડીયો સૌની સમક્ષ આવ્યા છે. તેમની હિન્દુ ધર્મ વિરોધી માનસિકતા સૌની સામે છતી થાય છે.ગુજરાતની શાણી સમજુ પ્રજા આવા અસામાજિક તત્વોને કયારેય ગુજરાતમાં ઘૂસવા દેશે નહીં અને આવા ધર્મવિરોધી તત્વોને જાકારો આપીને તેમનું યોગ્ય સ્થાન તેમને બતાવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.