રાજકોટના પાણી પ્રશ્ર્નને કાયમી ધોરણે ભૂતકાળ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીડેમને છલકાવી દેશે. આ શુકનવંતા કામનું કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. તે પૂર્વે રાજકોટમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગઇકાલે આજીડેમ ખાતે નર્મદામૈયાની મહાઆરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપ અગ્રણી અંજલીબેન ‚પાણીની આગેવાનીમાં હજારો બહેનોએ નર્મદા મૈયાની આરતી કરી હતી. નર્મદા મૈયાને આવકારવા મહાપાલિકા દ્વારા ડેમ ખાતે ભવ્ય આતશબાજી યોજાઇ હતી. ત્યારબાદ મ્યુઝિકલ નાઇટમાં બોલીવુડના ખ્યાતનામ સિંગર અંકિત તિવારીએ રાજકોટવાસીઓને ડોલાવ્યા હતા. વડાપ્રધાનના આગમનને પગલે રાજકોટમાં લોકોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત પ્રવાસન નિગમના ડીરેકટરશ્રી માંધાતાસિંહ જાડેજા, ગૈાસેવા આયોગના અધ્યક્ષશ્રી વલ્લભભાઇ કથીરીયા, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશ મિરાણી, પવિત્ર યાત્રાધામ બોર્ડના ઉપાધ્યક્ષશ્રી રાજુભાઇ ધ્રૃવ, ધારાસભ્યશ્રી ગોંવીંદભાઇ પટેલ, તથા શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, પૂર્વ મેયરશ્રી રક્ષાબેન બોળીયા, પૂર્વમંત્રીશ્રી જશુબેન કોરાટ, પ્રજાપિતા બ્રહ્માકુમારી તથા સ્વામિ નારાયણ સંસ્થાની બહેનો, ઉત્સાહી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી