Abtak Media Google News

પુરુષને સ્ત્રીથી અલગ કરતા વાય જનીનની ઘટતી સંખ્યાના બદલાવથી પુરુષ જાત પર ઉત્ક્રાંતિની થશે મોટી અસર

પૃથ્વીની ઉત્પત્તિથી લઈ આજ દિન સુધી સતત ઉત્ક્રાંતિ કાલ ચાલતો રહ્યો છે માણસ માટે રચાયેલ આ સંસારના આ નિયમનો ભોગ પુરુષોને પણ બનવું પડે તેવી સ્થિતિ

પરિવર્તન એ સંસારનો નિયમ છે.. સામાજિક રીત રિવાજ હોય કે પ્રકૃતિ ના ભેદ દુનિયામાં સતત પરિવર્તન થયા જ કરે છે, જીવ સૃષ્ટિની આજની રચના પણ પરિવર્તનના નિયમ મુજબ સતત પણે ઉત્ક્રાંતિ માંથી પસાર થઈ રહેલા જીવો આજે હયાતી સ્થિતિમાં પહોંચ્યા છે તેમાં માણસ પણ બાકાત નથી માણસના પૂર્વજો કેવા હતા? તેના અભ્યાસમાં વાંદરમાંથી આજના મનુષ્ય સુધીની સફર માં સતત પણે જૈવિક બદલાવ થી આજનો વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ જીવ બની રહેલા માનવી પર હજુ પણ ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલુ છે

Advertisement

અસંખ્ય પેઢીઓ માં પ્રાણીઓના વારસાગત લક્ષણોના પરિવર્તન ને ઉત્ક્રાંતિ કહેવાય છે. ઉત્ક્રાન્તીના કારણે પૃથ્વી પર વિવિધ પ્રકારો ના જાનવર, વનસ્પતિ, સુક્ષ્મજીવો અને બીજા જીવ-જન્તુઓ અસ્તિત્વ માં છે. એના કારણે પરમાણુ સ્તરે (જેવીરીતે (પ્રોટીન) અને (ડી. એન. એ) માં) ઘણી વિવિધતા છે. પૃથ્વી પર તમામ જીવન 30 થી 35 અબજ વર્ષો પહેલા સામાન્ય પૂર્વજ થી પ્રગટ થયું છે.

ઉત્ક્રાન્તી ના માધ્યમની ચર્ચા એરિસ્ટોટના દિવસોથી ચાલતી હતી. ચાર્લ્સ ડાર્વિન પ્રથમ વ્યક્તિ હતો જેણે અનુમાન કર્યો કે પ્રાણીઓ સહિયારું પૂર્વજ થી મૂળ થયા છે. ડાર્વિનને આ વિચાર દક્ષિણ અમેરીકા માં ગૈલાપાગોસ દ્વીપ પર એક પક્ષી, (ફિન્ચ) ના અલગ પ્રકારમાં ઝીણુીં અસમાનતા જોઈને આવ્યો. એ સમજ્યો કે ભિન્ન જાત ના ફિન્ચ એક પૂર્વજ પક્ષી થી પ્રગટ થયું આ ઉત્ક્રાંતિવાદમાં હવે વાય જનીન સૂત્ર પણ બદલાઈ રહ્યું છે અને એક  એક એવું તારણ નીકળ્યું છે કે પુરુષ તેના જનીની બંધારણથી કદાચ પુરુષપણું ગુમાવી દે

પૃથ્વી પર અન્ય જીવો અને સસ્તન વર્ગના પ્રાણીઓની જેમ માનવ પ્રજાતિમાં સ્ત્રીમાં બે એક્સ જનીન સુત્રો અને પુરુષમાં એક એક્સ અને એક વાય જમીન સૂત્રો હોય છે તાજેતરમાં આવેલા એક સર્વેના તારણમાં વૈજ્ઞાનિકોને એવું જાણવા મળ્યું છે કેનર માટેના વાય જનીન સુત્રો હવે ધીરે ધીરે પ્રચ્છનથતા જાય છે અને ધીરે ધીરે કદાચ તે નાશ પણ પામે વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં પસંદ કરાયેલી પ્રજાતિની બે અલગ અલગ શાખામાં નર માટે ના વાઈ જનીન સુત્રો ધીરે ધીરે પ્રસન્ન બનતા જાય છે.

પરંતુ એક અન્ય શાખામાં વાય જમીન સૂત્રો તેની જગ્યાએ અન્ય નવી જનીન સંરચના વિકસાવતું જોવા મળ્યું હતું વૈજ્ઞાનિકોને એવી આશા ઊભી થઈ છે કે વાય રંગસૂત્રો માં ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે તેના પરથી એક ભય સ્થાન અને બીજો આશાવાદ ઉભો થઈ શકે જો વાય રંગસૂત્ર પ્રથમ બનીને નાશ પામે તો નર પ્રજાતિ જોખમમાં મુકાઈ જાય અથવા તો વાય રંગસૂત્રમાં જનીનિક પરિવર્તન આવે તો અન્ય નવી પ્રજાતિ પણ ઉભી થઈ શકે આ ફેરફાર 11 મિલિયન વર્ષ એટલે કે સવા કરોડ વર્ષ પછી દેખાવા મળે

કેવી રીતે વાઈ જનીન માનવી ની જાતિ માટે કામ કરે છે?

વાયરંગ સૂત્ર ગર્ભધાન થી જ સક્રિય બની જાય છે ગર્ભ ધારણા બાર અઠવાડિયામાં વાય રંગસૂત્ર નું કાર્ય શરૂ થઈ જાય છે રંગસૂત્ર પુરુષની દેહિક રચના માટે કાર્યરત થઈ જાય છે

વાય રંગસૂત્રોનું ઘટતું જતું પ્રમાણ

સામાન્ય રીતે દરેક સજીવને સસ્તન વર્ગમાં એક્સ અને વાય રંગસૂત્ર હોય છે અલબત્ત એક રંગસૂત્ર ની વિસંગતતા મુશ્કેલીનું કારણ બને છે! ઓસ્ટ્રેલિયાના જનીન વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા એક સર્વેમાં એક જ પ્રજાતિના પરંતુ અલગ અલગ જનીન બંધારણ ધરાવતા પ્રાણી ના સંશોધનમાં એક શૃંગ સૂત્ર સામે વાય રંગસૂત્રોની સંખ્યા ઘટતી જોવા મળી હતી અને ધીરે ધીરે આ પ્રક્રિયા આગળ વધે તો કેટલાક નિશ્ચિત વર્ષોમાં વાય જનીન નામસેસ થઈ જાય તો પુરુષનું અવતરણ પૂરું થઈ જાય 11મિલિયન એટલે કે એક કરોડને દસ લાખ વર્ષ પછી આ પ્રક્રિયાનું પરિણામ આવે અને પુરુષ અવતરવા પોનું બંધ થઈ જાય

વાય જનીન વગર નો જન્મ દર વધવાની સંભાવના

રંગસૂત્ર ના જાનેનીક ઉત્ક્રાંતિ ની આ બાબતમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં પૂર્વ યુરોપ ની ઉંદરની પ્રજાતિ અને જાપાનની કેટલીક પ્રજાતિઓમાં વાય રંગસૂત્ર ની સંખ્યા ધીરે ધીરે મુક્ત થતી દેખાય રહી છે અને એક્સ રંગસૂત્ર પ્રભાવિ બની ગયું છે આ સર્વેથી એવું તારણ નીકળે કે જો આ પ્રક્રિયા મનુષ્યમાં પણ લાગુ પડે તો પુરુષનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય સાથે સાથે વાય રંગસૂત્ર નવા વીર્ય સાથે જો વિકાસ પામે તો નવી પ્રજાતિ પણ ઊભી થઈ શકે જાપાનના હોકાઈના જીવવિજ્ઞાનીકો એ હાથ ધરેલા એક સર્વેમાં આ બાબત બહાર આવી છે ડીએનએના બંધારણમાં આવેલા ફેરફારમાં પ્રોટીનનું બંધારણ બદલાઈ રહ્યું છે અને નવા ડીએનએમાં એસ, ઓ એક્ષ9 પ્રકારની સ્વરચના માં વાય રંગસૂત્ર માં ફેરફાર થઈ રહ્યું હોવાનું દેખાય છે.

વાયરંગ સૂત્રોનું પરિવર્તન મનુષ્ય જાતને શું અસર કરી શકે?

આધુનિક વિશ્વના મનુષ્યો અને અન્ય જીવો છેલ્લી 30 પેઢીથી સતત પણે ધીરા ધીરા બદલાવ ના પરિણામે આ સ્થળે પહોંચી છે હવે જો વાય રંગસૂત્ર અને રંગસૂત્રોમાં બદલાવ આવે તો પુરુષની પ્રજાતિ ઘટતી જાય અને ધીરે ધીરે પુરુષ નું અસ્તિત્વ મટી જાય

આશાનું કિરણ શું છે

માનવીના જીનીનિક બંધારણ માંથી વાય રંગસૂત્ર ઘટતા જતા હોવાના કારણે સાથે સાથે જનની ક બદલાવની આશા ઊભી થઈ છે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને જોઈએ તો સૂત્ર જો તેના બંધારણમાં ફેરફાર કરીને દવા આ વિસ્તાર કરે તો નવી જાતિનો જન્મ થાય અથવા તો આ પરિવર્તનથી વાય જનીન સૂત્ર પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ રહે અત્યારથી આવનારા સવા કરોડ વર્ષ પછી વાય રંગસૂત્રની અછત અને બદલાવના પરિણામો જોવા મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.