Abtak Media Google News

ત્રણ રાજ્યમાં કારમી હાર પછી ગુરૂવારે ભાજપની સંસદીય દળનીબેઠક મળી. સંસદ ભવનના લાયબ્રેરી ભવનમાં થયેલી આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલીહાર પર કોઈ જ ચર્ચા ન થઈ. સંસદીય દળની બેઠકમાં માત્ર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીવાજપાયી અને અનંત કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.આ બેઠકમાં વડાપ્રધાનમોદી ઉપરાંત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ સાંસદો બેઠકમાં હાજર રહ્યાં.

Screenshot 2 5

ભાજપનેમધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પરાજયનો સામનો કરવોપડ્યો છે, જ્યાં તેઓ સત્તામાં હતા. તેલંગાણામાં મજબૂતતાકાતથી સામે આવવાના ભાજપના પ્રયાસોને પણ ઝટકો લાગ્યો, ત્યાં તેઓને માત્ર એક જ બેઠક મળી. પહેલાં 5 સીટ હતી. મિઝોરમમાં ભાજપને એક બેઠક પર જીત મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.