Abtak Media Google News

હૈદરનગરમાં ખેડૂત ખાટ પંચાયત દરમિયાન લઘૂમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું સંબોધન

કોંગ્રેસે વર્ષોથી ખેડુતોને વોટબેંક આપી છે. ખોટા લોભ દ્વારા ઉપયોગ અને ગેરમાર્ગે દોરવામાં આવે છે જે કયારેય સફળ થશે નહિ તેમ ભાજપના વરિષ્ઠ નેતા અને લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહેમદે જણાવ્યું છે. મૌજા મડકોલાના ગામ હૈદરાનગરમાં કિસાન ખાત પંચાયત દરમ્યાન ખેડુતોને સંબોધન કરતા કહ્યું હતુ કે કૃષિ સુધારણા વિધેયક મધ્યસ્થીઓનાં ચક્રને વિખેરી નાખવા અને ખેડુતોની મહેનત માટે સંપૂર્ણ કિંમત ચૂકવવાની બાંયધરી છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ખેડૂત બિલ અંગે આશંકા ઉભા કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જયારે મોદી સરકાર ખેડુતોના સશકિતકરણ માટે પગલા લઈ રહી છે. ત્યારે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કાવતરૂ ઘડી રહી છે. વધુમાં જણાવ્યું હતુ કે આ બિલ પસાર થતા ખેડુતોને વેચાણ માટે સ્વતંત્રતા મળશે અને વચેટિયાઓની પકડમાંથી મૂકિત મળશે.

ખેડૂત સીધા ખરીદદાર સાથે કનેકટ થઈ શકશે જેથી પેદાશનો પૂરતો ભાવ મળી રહેશે. ખેડુતોને અત્યાધુનિક કૃષિ ટેકનોલોજી, કૃષિ ઉપકરણો અને અધતન ખાતર બિયારણની પહોચ મળશે. તેમજ ૩ દિવસમાં ચુકવણીની ગેરંટી મળશે.

ખેડુતો માત્ર તેમના પાકનો સોદો જ નહિ પરંતુ અન્ય રાજયોનાં પરવાના પ્રાપ્ત વેપારીઓ સાથે બજારમાં પણ હરિફાઈ કરી શકશે. વન નેશન વન માર્કેટની કલ્પનાને દેશભરનાં ખેડૂતોને પેદાશો વેચવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

વધુમાં અહેમદે કહ્યું હતુ કે વડાપ્રધાન ખેડૂતોના હિત માટે સમર્પિત છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિના નેતૃત્વ હેઠળ અત્યાર સુધીમાં ખેડુતોને ૯૨૦૦૦ કરોડથી વધુની રકમ આપવામાં આવી છે. એક એવી ભ્રમણા છે કે કૃષિ સુધારણા બિલો દ્વારા લઘુતમ ટેકાના ભાવ એટલે કે એમએસપી સિસ્ટમને સમાપ્ત કરવાની તૈયારી છે. ત્યારે વડાપ્રધાન વારંવાર કહે છે કે આ સિસ્ટમ આખા દેશમાં ચાલુ રહેશે અને તેમાં કોઈ ફેરફાર નથી.

ઘઉંના લઘુતમ ટેકાના ભાવ રૂ.૫૦ વધારીને રૂ.૧૯૭૫, ચણાના રૂ.૨૨૫ વધારીને રૂ.૫૧૦૦, મસૂરના રૂ. ૩૦૦ વધારીને રૂ.૫૧૦૦ સરસવના રૂ.૨૨૫ વધારીને રૂ. ૪૬૫૦ પ્રતિ કિવન્ટલ કરવામાં આવ્યા છે.

વધુમાં જણાવ્યું હતુ કે ૨૦૦૯-૧૦માં યુપીએ કૃષિ બજેટ ૧૨ હજાર કરોડ હતુ જેને મોદીએ વધાર્યું હતુ ૨૨ કરોડથી વધુ ખેડૂતોને આરોગ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. મોદી સરકાર દ્વારા ૧૦૦૦૦ નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો પર ૬૮૫૦ કરોડ રૂ.ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

આત્મનિર્ભર પેકેજ હેઠળ કૃષિ ક્ષેત્ર માટે ૧ લાખ કરોડની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોની લોન માટે અગાઉના ૮ લાખ કરોડની જગ્યાએ ૧૫ લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન કિસાન માન-ધન હેઠળ, જયારે તેઓ ૬૦ વષૅના છે ત્યારે માસિક ઓછામાં ઓછી ૩૦૦૦ રૂપિયા પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. એમએસપીની ચુકવણી વિશે વાત કરતા મોદી સરકારે ૬ વર્ષમાં ખેડૂતોને ૭ લાખ કરોડ ચૂકવ્યા છે. જે યુપીએ સરકાર કરતાં બમણું છે.

વધુમાં કહ્યું હતુ કે કોંગ્રેસ એન્ડ કંપનીનું કહેવું છે કે અનુબંધિત કૃષિ કરારમાં ખેડુતોનો પક્ષ નબળો પડશે અને તે ભાવ નકકી કરી શકશે નહિ. જયારે સત્ય એ છેકે ખેડુતને કરારમાં સંપૂર્ણ સ્વતંત્રતા મળશે તેની ઈચ્છા મુજબ ભાવ નકકી કરીને પેદાશોનું વેચાણ કરવામાં સક્ષમ રહેશે. જો ખેડુત કરારથી સંતુષ્ટ ન હોય તો તેઓ કોઈપણ સમયે કરાર સમાપ્ત કરી શકે છે. કૃષિ સુધારણા બિલ ૧૦૦% ખેડૂતોના હિતોની બાંયધરી છે.

આ કાર્યક્રમાં આયોજક ફિરોઝખાન, ગ્રામ પ્રધાન, મુખ્ય અતિથિ સરફરાઝ અલી, પ્રભારી જેવર મંડળ ભાજપ એહસાન ખાન, ક્ષેત્રીય મંત્રી લઘુમતી મોરચા જાહિદ અલી (ગામ સરસૌલ) રાજેશ કુમાર, હાજી જાન મોહમ્મદ, દિલસાદ ખાન, ઈન્સાફ ખાન, શાહિદ ખાન, પૂર્વ પ્રધાન ધર્મવીરસિંહ વગેરે અલગ અલગ ગામોમાંથી ખેડૂતોએ કિસાન ખાત પંચાયતમાં ભાગ લીધો હતો. અને કૃષિ વિધેયક બિલને સમર્થન આપ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.