Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જાસપુર ઉમિયાધામના ભૂમિપુજનનું ખાતમુહર્ત કર્યા પછી ગુજરાતની પ્રથમ મેટ્રોનું ઉદધાટન કર્યું હતું. અને ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને રૂટની શરૂઆત કરી હતી.

4 2

આ મેટ્રો ટ્રેન પ્રથમ તબક્કામાં ઈસ્ટ -વેસ્ટ કોરીડોરમાં હાલ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કિમી રૂટ પર મેટ્રોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું. મેટ્રો ટ્રેનના ભાડાની જાહેરાત પણ આજે થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી, વિજયભાઈ રૂપાણી અને નિતિનભાઈ પટેલે મેટ્રો ટ્રેનમાં બેસીને મુસાફરી કરી હતી.

2 6

3 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.