સમાજવાદી પાર્ટી નું રાષ્ટ્રીય અધિવેશન આગ્રામાં ગુરુવારે યોજાયું. તેમાં અખિલેશ પાર્ટીના બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અખિલેશ યાદવે મુલાયમ સિંહને અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પહોંચ્યા નહીં. અખિલેશને આગલા 5 વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ અધિવેશનમાં દેશભરમાંથી આશરે 15 હજાર પાર્ટીના ડેલિગેટ્સે હિસ્સો લીધો હતો.અધિવેશનમાં હિસ્સો લેવા માટે અખિલેશ બુધવારે પહોંચ્યા હતા, જ્યારે રામગોપાલ 3 ઓક્ટોબરે જ પહોંચી ગયા હતા. 28 સપ્ટેમ્બરે અખિલેશ યાદવે મુલાયમ સિંહને મળીને આગ્રાના રાષ્ટ્રીય અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ અધિવેશનમાં પહોંચ્યા નહીં.પહેલા સમાચાર આવ્યા છે કે કારોબારી દોસ્ત પાસે મુલાયમ સિંહે અધિવેશનમાં જવા માટે ચાર્ટર્ડ પ્લેન માંગ્યું હતું.બુધવારે અખિલેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું “મેં નેતાજી પાસે આશીર્વાદ માંગ્યા છે, હું ઇચ્છું છું કે તેઓ આગ્રા આવે.”
Trending
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ