Abtak Media Google News

આંકલાવના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમય ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાય જાહેર કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.