Abtak Media Google News

સંતરામપુર પાસે ગોધરા-સંતરામપુર હાઈવે પર ઉંબર ટેકરા પાસે એક મિનિ બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.

ઈજાગ્રસ્તોને સંતરામપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવારાર્થે ગોધરા અને વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.