Abtak Media Google News

ટીવી એપ્લાયન્સીસ ટ્રેડર્સ એસોસિએશન સરાહનીય નિર્ણય વધાવી વેપારીઓ

કોરોના મહામારી નું રાજકોટમાં સંક્રમણ વધી રહ્યું હોય કોરોનાને મહાત કરવા સરકાર પણ કટીબધ્ધ છે ત્યારે લોકોએ જાગૃતિ દાખવી બધા એક્ઝેટ થઇ વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ના સહિયારા પ્રયત્નો કરવા જોઈએ.

રાજકોટ ટીવી એપ્લાયન્સીઝ એસોસીએશન દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લઇ ઇલેકટ્રોનિકસના તમામ વેપારીઓએ સાંજે ૬ વાગ્યા સુધી જ પોતાના શો-રૂમ ખુલ્લા રાખવાનું નકકી કરેલ છે. એસોસીએશનના આ નિર્ણયને ઇલેકટ્રોનિકસ ના તમામ વેપારીઓ એ વધાવી લઈ સહકારની ભાવના દાખવી છે.

સાંજે 5 વાગ્યા સુધી શો-રૂમ ખુલ્લા રહેવાને કારણે લોકોની અવર જવરમાં ઘણો ફરક પડશે જેને કારણે કોરોના સંક્રમણને અટકાવી શકીશું એવી ટીવી એપ્લાયન્સીસ ટ્રેડર્સ એસોસિએશન પ્રમુખશ્રી અનીષભાઇ શાહ વિશ્વાસ વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.