Abtak Media Google News

ટ્રસ્ટીઓ સામે નોંધાવેલી ફરિયાદના સમાધાન માટે રૂ.સાડા ત્રણ કરોડની માંગણી કર્યાનો આક્ષેપ

ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજના કોમ્પ્યુટર પ્રોગ્રામર ટ્રસ્ટીઓ સામે અગાઉ નોંધાવેલી ફરિયાદના સમાધાન માટે રૂ.૩.૫૦ કરોડની માંગણી કરી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ કરી છે.

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા અને ગોંડલ રોડ પરની પી.ડી.માલવીયા કોલેજના સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામ મેરામભાઈ હેરભાએ પોતાની જ કોલેજમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે ફરજ બજાવતા સંજય સુરેશચંદ્ર પંડયા સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સંજય પંડયાએ અગાઉ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સમાધાન કરવાના બદલામાં રૂ.૩.૫૦ કરોડ માંગી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી દીધાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. પોલીસ અને માલવીયાનગર પીએસઆઈ યુ.બી.જોગરાણાએ સંજય પંડયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.