Abtak Media Google News

જસદણના વડોદ ગામે આંગણવાડી મકાનમાંથી આચાર્ય ગીરીશભાઇ દ્વારા વર્કર નીતાબહેન કે ટીડીપીઓની સંમતી વગર કે કોઇ જાતની મૌખીક જાણ વગર આંગણવાડી બાળકોને આપવામાં આવતો પોષ્ટીક આહાર તેમજ બાળકોના રમત-ગમતના સાધનો સહિતની વસ્તુઓ બાળકો પાસે કામ કરાવી કમ્પાઉન્ડમાં મનફાવે તે રીતે મુકાવતા આમ આંગણવાડીની જગ્યા જે પહેલા પંચાયત ઘર હતું,

હાલ 14 વરસ થયા આંગણવાડી કેન્દ્ર ચાલુ છે. જે આચાર્ય દ્વારા કોઇ પુર્વ જાણ વગર આ ચાલતુ આંગણવાડી કેન્દ્ર ખાલી કરાવી તાળુ મારી દેતા હાલ આચાર્યના પાપે 15 દિવસ થયા કેન્દ્ર બંધ હોય ટીડીપીઓ દ્વારા આચાર્ય વિરૂધ્ધ કોઇ નક્કર કાર્યવાહી થશે કે કેમ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.