Abtak Media Google News

અમરેલી શહેરમાં પત્નીએ પુત્રને રમાડવા આવવાની ના પાડતાના વેણથી લાગી આવતા પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરનાં માણેકપરા વિસ્તારમાં રહેતો દેશાઈ સન્ની મનોજભાઈ નામના 30 વર્ષિય યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા પ્રથમ અમરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જયાં ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સન્ની દેશાઈને ત્યાં પુત્રનો જન્મ થયો હોય અને પત્ની માવતરે હોય ત્યારે સન્ની દેશાઈ પુત્રને રમાડવા ગયો હતો. ત્યારે પરિવારમાં મરણ થયેલ હોય આથીસુતક લાગે આથી પુત્રને રમાડવા આવવાની પત્નીએ પતિ સન્ન દેશાઈને ના પાડતા આથી લાગી આવતા સન્ની દેસાઈએ ઝેર પી જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.