Abtak Media Google News

સેલવાસના ટાઉનહોલમાં આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘના અધ્યક્ષ અનિલ પટેલ દ્વારા મહિલા કિસાન સમિતિના રાષ્ટ્રીય સચિવપદ પર અંકિતાબેન પટેલની નિમણુક બદલ અભિવાદન કાર્યક્રમ યોજાયો. ઉલ્લેખનીય છે કે ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી તેમજ કોષાધ્યક્ષ સુધીર ત્યાગીએ કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષના જણાવ્યાનુસાર મહિલા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. આ સમિતિમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ભાજપના અંકિતા પટેલને મહિલા કિસાન સમિતિના રાષ્ટ્રીય સચિવના મહત્વપૂર્ણ પદ પર નિયુકત કરાયા જે સંઘ પ્રદેશ અને દાદરાનગર હવેલી માટે ગૌરવની વાત છે.

Advertisement

આ ઉપરાંત રાજય અને સંઘ પ્રદેશો માટે પણ ક્ધવીનર અને સહ ક્ધવીનરની વરણી કરવામા આવી. જે અંતર્ગત સેલવાસના મુખ્ય ક્ધવીનર પણ અંકિતા પટેલને બનાવવામાં આવ્યા. સાથે જ આ સમિતિમાં નીરૂબેન ચૌધરી, બીનાબેન લોટૂં, રંજાબેન પવાર, રઈસાબેનને સહ ક્ધવીનર બનાવવામાં આવ્યા છે.  આ દરેકનો સ્વાગત સમારોહ આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘ દ્વારા સેલવાસના ટાઉનહોલમાં યોજવામાં આવ્યો. જેમાં ખાસ દાદરાનગર હવેલીના પૂર્વ ભાજપ અધ્યક્ષ દિપક જાધવ, અનિલ પટેલ, સિઘ્ધાર્થ શુકલા, પ્રીતિ દોડિયા, રિટા પટેલ, હિતેશ, ભારતી હલપતિ ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.