Abtak Media Google News

આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વવાણીયામાં માતૃશ્રી રામબાઇમાં મંદિર ધામે આગામી તા. ર૮ -૧૦ ને સોમવારે સવારે ૯ કલાકે નુતનવર્ષ અન્નકુટ મહોત્સવ તથા સ્નેહમીલન તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ અન્નકુટ મહોત્સવ તથા મહાપ્રસાદમાં મુંજકા ગામ તરફથી ભુપતભાઇ સેગલીયા તેમજ પ્રવીણભાઇ સેગલીયાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમ મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવાણીયા ખાતે યોજાશે. આ સંસ્થા દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુકિત કેમ્પ, ગૌશાળા, કાયમી અન્નક્ષેત્ર, સામાજીક તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઇ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગન્નાથજી મહારાજ, પ્રભુદાસજી, તેમજ કિશનદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમિતીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે સમીતીના પ્રમુખ જશુભાઇ રાઠોડ મંત્રી દિનેશભાઇ બોરીચા, પ્રચાર મંત્રી પુનાભાઇ મૈયડ, ટ્રસ્ટી પ્રવીણભાઇ કાનગડ, ધીરુભાઇ રાઠોડ, ચંદુભાઇ મિયાત્રા, રમેશભાઇ ડાંગર વગેરેએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.