Abtak Media Google News

અમેરિકામાં અનેક વખત ગુજરાતીઓની હત્યા કરવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજરોજ વધુ એક ગુજરાતી દંપત્તિની ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ ચકચારી ઘટના છે પરિવાર અને સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ૬ ફેબ્રુઆરીએ ઘટી હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમાં અરવલ્લી જીલ્લાના મેઘરજના દંપતીની રજનીકાન્ત વલ્લવદાસ શેઠ અને તેમનાં ધર્મપત્ની નિરીક્ષાબેન શેઠની અમેરિકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી ત્યારે અમેરિકામાં દંપતીની અંતિમવિધિ કરવામાં આવી છે.

હુમલાખોરોએ બંદૂકની ગોળીઓ ધરબી દેતા દંપતીના મોત નીપજ્યું હતું ત્યારે આ બનાવ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ હત્યા પાછળનું કયું કારણ જવાબદાર છે તે મૂળ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવશે. આ વૈષ્ણવ સમાજના દંપતિની હત્યાની ઘટનાથી પરિવાર અને સમાજમાં શોકની લાગણી પ્રસરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.