Abtak Media Google News

અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII)ના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. અનુપમ ખેરના જણાવ્યા મુજબ તેઓ ઈન્ટરનેશનલ ટીવી શો માટે આ રાજીનામું આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, FTIIની જવાબદારીને કારણે તેઓ તેના પર ફોકસ કરી રહ્યાં ન હતા. અનુપમ ખેરને ઓક્ટોબર, 2017માં FTIIના ચેરમેન બનાવવામાં આવ્યાં હતા.

અનુપમ ખેર એક ઈન્ટરનેશનલ ટીવી સીરીઝ સાથે જોડાયેલાં છે.અનુપમ ખેરના જણાવ્યા મુજબ FTII માટે તેમની પાસે વધુ સમય નથી તેથી તેને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.અનુપમ ખેર અમેરિકી મેડિકલ ડ્રામા સીરીઝ ન્યૂ એમ્સટર્ડમમાં ડૉ. અનિલ કપૂરની ભૂમિકા ભજવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.