સરકાર દ્વારા મફત માસ્કનુ વિતરણ તથા દંડની રકમ રુ.૫૦ કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કોંગ્રેસ ના ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી,માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકીયા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ રાઠોડ,તાલુકા સેવાદળ કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ હુંબલ, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા સહીતના કોંગ્રેસ કાર્યકરોએ આજરોજ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને ઉદ્દેશીને મામલતદાર માણાવદર મારફતે કોરોના મહામારીમાં માસ્કના દંડ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં રજુઆત કરવામાં આવેલ કે છેલ્લા ચાર માસથી વધુ સમયથી કોરોનાની પરિસ્થિતિમાં લોકોના જીવન બે હાલ બની ગયા છે જે લોકો માસ્ક વગર નીકળે છે તેઓને રુ.૨૦૦ દંડ તથા અમુક શહેરોમાં રુ.૫૦૦ જેવો દંડ સરકાર દ્વારા રાખવામાં આવેલ છે તે ધટાડી રુ.૫૦ નો કરવામાં આવે તથા સરકારે ખરેખર કોરોના ને કાબુમાં રાખવો હોય તો ગરીબ અને મધ્યમવર્ગીય જનતા ને વિના મુલ્યે માસ્કનુ વિતરણ કરવું જોઈએ અને કંપનીઓ, સામાજીક સંસ્થાઓ, તથા વ્યક્તિઓ પાસેથી રોકડ રકમ નું દાન લેવાના બદલે વિના મુલ્યે માસ્કનુ દાન કરે તેવી જાહેરાત કરવા વિનંતી કરવામાં આવી છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો