Abtak Media Google News
  • સરકાર 2026 સુધીમાં બાળ લગ્ન પર નવો કાયદો લાવવાનું પણ કરી રહી છે વિચાર

National News : આસામ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યું તેવું દેખાય છે. આસામ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ એક્ટને નાબૂદ કરી દીધો છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે તેને યુસીસીનું પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે, હવે આસામ પણ તે યાદીમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે.

Aasam

આસામ સરકારે શુક્રવારે એક બેઠક બોલાવી અને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ 1930 નાબૂદ કરી દીધો. હવે રાજ્ય સરકારની દલીલ છે કે બાળ લગ્ન રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની અસર વ્યાપક થવાની છે. આને યુસીસીના અમલીકરણ તરફની દિશામાં પ્રથમ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી સરકારે આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ જોરશોરથી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

બિસ્વા સરકારે થોડા સમય પહેલા એક કમિટી બનાવી હતી. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તે સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામમાં પણ બહુપત્નીત્વ ફરજિયાત નથી. આવી સ્થિતિમાં આ પ્રથાને તોડવા માટે કાયદો બનાવવાની વાત થઈ હતી. હવે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરીને એ દિશામાં એક પગલું ભરવામાં આવ્યું છે. હિંદુ મેરેજ એક્ટ 1955ના અમલ પછી હિંદ, બૌદ્ધ અને શીખ સમુદાય બહુપત્નીત્વનો અંત આવ્યો છે. તેવી જ રીતે, ખ્રિસ્તીઓમાં પણ આ પરંપરા ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 હેઠળ નાબૂદ કરવામાં આવી છે. પરંતુ મુસ્લિમ સમુદાયમાં બહુપત્નીત્વ હજુ પણ સામાન્ય છે. કેટલાક સંગઠનો ચોક્કસપણે આનો ઇનકાર કરે છે અને તેને ધાર્મિક આધારો પરના હુમલા તરીકે જુએ છે. પરંતુ આસામ સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે. અહીંની ભાજપ સરકાર 2026 સુધીમાં બાળ લગ્ન પર નવો કાયદો લાવવાનું પણ વિચારી રહી છે, જે સજા બે વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.