Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મોડી રાત્રે રાજકોટમાં આગમન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉનમાં PM મોદીએ રાત્રિરોકાણ કર્યું. આજે બુધવારે મોરબી, પ્રાંચી, પાલીતાણા અને નવસારીમાં સભા ગજવશે. વડાપ્રધાનના સ્વાગત માટે વિજયભાઇ રૂપાણી, શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર ડો.જૈમન ઉપાધ્યાય એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

પાટીદારોના મુખ્ય ગઢ એવા મોરબી પંથકમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજવશે

ગુજરાતવિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે સૌથી વધુ અસરકારક પરિબળ બની ગયેલા પાટીદારોના મુખ્ય ગઢ એવા મોરબી પંથકમાં એકબાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી શહેરમાં સભા ગજાવવાના છે જ્યારે બીજીબાજુ મોદીના સભા સ્થળથી 32 કિ.મી. દૂર ખાખરેચી ગામે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સભા ગજાવવાનો છે. સમાંતર એક સમયે યોજાનાર સભામાં પાટીદાર જનસમૂહ એકઠો કરવા માટે બન્ને પક્ષેથી એડીચોટીનું જોર લગાવાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.