Abtak Media Google News

સ્વ.અટલ બીહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા

ભા૨તના પૂર્વ પ્રધાનમંત્રી અને ભા૨ત૨ત્ન સ્વ.અટલબીહા૨ી બાજપાઈજીનું તા. ૧૬ ઓગષ્ટના ૨ોજ દુ:ખદ નિધન થતા  આવા લોકહૃદય સમ્રાટ અટલજીને શ્રધ્ધાંજલી આપવા અને શત શત નમન ક૨વા શહે૨ના નુતનનગ૨ કોમ્યુનીટી હોલ, કાલાવડ ૨ોડ ખાતે અટલજીના આત્માની શાંતિ અર્થે પર્રાનાસભાનું આયોજન ક૨વામાં આવ્યું હતું.

Advertisement

જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, હંસીકાબેન મણીયા૨, મધુબેન શુકલ, મનસુખભાઈ જોષી, જેન્તીભાઈ કાલ૨ીયા,ડો. હેમાંગભાઈ વસાવડા, ગાયત્રીબા વાઘેલા અને ન૨ેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત સંતો-મહંતો, સામાજીક-શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો, ડોકટરો, વકીલો, સ્વયંભૂ રીતે જોડાયા હતા. તેમજ આ સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભામાં પીએમ નરેન્દ્રભાઈ મોદી તેમજ સીએમ વિજયભાઈ રૂપાણીએ પ્રસારણ માધ્યથી શ્રધ્ધાંજલી પાઠવી હતી અને અટલજીની કાવ્ય પંક્તિઓ પણ રજૂ કરવામાં આવી હતી2 102આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે અટલજી યુવા વયી જીવનના અંત સુધી દેશ અને સામાન્ય લોકોના સપના માટે જીવ્યા હતા, તેમનું જીવન દેશને સમર્પિત હતું. કમલેશ મિ૨ાણીએ જણાવ્યું  કે ભા૨તીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ, પૂવ વડાપ્રધાન અને ભા૨ત૨ત્ન અટલજી ભા૨તીય જનતા પાર્ટીની ૨ાષ્ટ્રવાદની વિચા૨ધા૨ાના જીવંત પ્રતિક સમાન હતા. અભયભાઈ ભા૨ધ્વાજે જણાવ્યું કે અટલ બીહા૨ી બાજપાઈ કવિહ્રદય હતા. પાર્ટી જ નહી પ૨ંતુ વિ૨ોધ પક્ષમાં પણ તેમના કોઈ શત્રુ ન હતા તેઓ અજાતશત્રુ હતા.

3 76જયારે જયોતિન્દ્ર મામા તેમજ કિશો૨ભાઈ મુંગલપ૨ા જણાવ્યું કે અટલજીએ લાખો લોકોના હ્રદયમાં સન  પ્રાપ્ત ર્ક્યુ છે અને કાર્યર્ક્તામાં ઘડત૨ અને સિંચન ર્ક્યુ છે. જયંતીભાઈ કાલ૨ીયાએ જણાવ્યું હતું કે અટલજીની પાંચ દશક લાંબી ૨ાજકીય યાત્રા, ૨ાજનિતી ક્ષેત્રે કાર્ય૨ત સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની છે. આ તકે તમામ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી અટલજીને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.