Abtak Media Google News

આરએસએસ અગ્રણી પર હુમલા સામે ઉગ્ર રોષ

કાલાવડમાં વિહિપે મામલતદારને આપ્યું આવેદન

કાલાવડમાં આરએસએસના અગ્રણી પરના હુમલાખોરોને તત્કાલ ઝબ્બે કરી કડક સજા કરવામાં કાલાવડ વિહિપે માંગ કરી છે. કાલાવડ મુળીલા વિહિપ અને હિન્દુ સેવા સમિતિએ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે, તા.૬ના રોજ કાલાવડમાં આરએસએસના વરિષ્ઠ આગેવાન ભાનુભાઈ પુરૂષોતમભાઈ પટેલ (ભાનુદાદા) ઉપર હુમલો થયો હતો. આ હુમલો રાષ્ટ્ર તથા હિન્દુ ધર્મની વિચારધારા ઉપરનો છે. રાષ્ટ્રહિતના રક્ષક સેવા વરિષ્ઠ આગોવાન ઉપર હુમલાને કાલાવડ વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા મુળીલા હિન્દુ સેવા સમિતિએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. બનાવ જોતા હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુઓનું વિચારધારાનું હિત જોખમમાં છે. દિવસે ને દિવસે વધતું જાય છે અને એનકેન પ્રકારે આવા બનાવો બનતા રહે છે. આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી સંડોવાયેલા તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે.

રાષ્ટ્ર તથા હિન્દુ ધર્મના વિચાર ઉપર હુમલાઓ થશે તો વિશ્ર્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સેવા સમિતિ-મુળીલા સાખી નહીં લ્યે અને વળતો જવાબ આપશે. તેમ કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવી ચીમકી અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.