Abtak Media Google News

વિધવા અને તેની પુત્રવધૂએ નરાધમનો હિંમતથી સામનો કરતા ભાગી ગયો : આરોપી સકંજામાં

રાજકોટમાં કોઠારિયા રોડ પરના ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢાના ઘરમાં ઘૂસી એ વિસ્તારના શખ્સ નિદ્રાધીન પ્રૌઢાને અડપલાં કરી તેમની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

Advertisement

વિગતો મુજબ ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા 55 વર્ષના વિધવા પ્રૌઢાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઘનશ્યામનગરમાં રહેતા તુષાર મનસુખ દાફડાનું નામ આપ્યું હતું. પ્રૌઢાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિનું અવસાન 19 વર્ષ પૂર્વે થયું હતું અને તેમના પુત્રનું 2022માં નિધન થયું હતું. પ્રૌઢાની સાથે તેમની પુત્રવધૂ અને તેની બે પુત્રી રહે છે.ગત તા.6ની રાત્રીના દોઢેક વાગ્યે પ્રૌઢા ઘરે સુતા હતા ત્યારે અચાનક જ તેમના શરીરને કોઇ સ્પર્શ કરી રહ્યું હોય તેવું લાગ્યું હતું. પ્રૌઢા નિદ્રામાંથી સફાળા જાગી ગયા હતા અને નજર કરતાં એ શખ્સ ઘનશ્યામનગરમાં દુકાન ચલાવતો તુષાર દાફડા હતો.

તુષારે પ્રૌઢાને અડપલાં કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હતી. નિર્લજ્જ હુમલો થતાં પ્રૌઢાએ દેકારો મચાવતા તેમના પુત્રવધૂ સહિતના પરિવારજનો દોડી જતાં પ્રૌઢાને ધક્કો મારી તુષાર નાસી ગયો હતો. પ્રૌઢાએ બીજા દિવસે પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી. જોકે સમાજમાં આબરૂ જવાના ભયથી ફરિયાદ નોંધાવી નહોતી અંતે સમાજના લોકો હિમ્મત આપતા ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.