Abtak Media Google News

 નિઃશુલ્ક ૨૧૦૦૦ તિરંગાનું વિતરણ

Screenshot 13 5 

મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા જણાવ્યું હતું કે પાટીદાર નવરાત્રી મહોત્સવ ટીમ અને અજયભાઇ લોરિયા દ્વારા પ્રધાનમંત્રી દ્વારા હર ઘર તિરંગા લગાવવાના તેમજ લોકોમાં રાષ્ટ્રભક્તિ જગાવવાના ઉદેશ્ય તેમજ કરેલા આહવાનને ઝીલી મોરબી જીલ્લા ભાજપ અગ્રણી તેમજ સેવાભાવી એવા અજયભાઇ લોરિયા દ્વારા આજરોજ મોરબીમાં બે સ્થળોએથી નિઃશુલ્ક ૨૧૦૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રવાપર ચોકડી તેમજ શનાળા રોડ-સુપર માર્કેટ ખાતે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવેલ તે બદલ અજયભાઇ લોરિયાને અભિનંદન પાઠવ્યા હતા.

Screenshot 13 6

૧૫ ઓગસ્ટના રોજ દેશના લોકો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરે છે જેના ભાગરૂપે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેમજ વધુને વધુ લોકોમાં રાષ્ટ્રભાવનાની જાગૃતિ આવે તે માટે પાટીદાર નવરાત્રી ગ્રુપ તેમજ સેવા એજ સંપત્તિ તથા મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા વિનામૂલ્યે ૨૧૦૦૦ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, દુરાભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ સેવા એજ સંપત્તિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઋષિ મહેતા 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.