Abtak Media Google News

,આજે  તીર્થમાં  સ્નાન-દાન અને પૂજા કરવાથી  મહાયજ્ઞ જેટલા પુણ્યની પ્રાપ્તિ  થાય છે . આસો માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.

આસો માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. તેની સાથે જ જાણ્યે-અજાણ્યે કરેલા પાપ પણ દૂર થઈ જાય છે.

. ઉપવાસ એટલે ઉપર એટલે નજીક અને વાસ એટલે નજીકમાં રહેવું. આ રીતે ઉપવાસ એટલે ભોજન અને તમામ આનંદનો ત્યાગ કરીને ભગવાનની નજીકની અનુભૂતિ કરવી.

આસો માસના શુક્લ પક્ષની દ્વાદશીએ ગંગા અને યમુના સહિત કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવું, ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને પછી ભોજન અને વસ્ત્રો સાથે તલનું દાન કરવાથી મહાયજ્ઞ કરવા જેવું જ પુણ્ય મળે છે.

આસોમાસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અને અભિષેક કરવાની પરંપરા છે. પૂજામાં તુલસીના પાન અને શંખને પાણી અને દૂધથી ભરીને અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી મહાયજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે.

આસો મહિનાની દ્વાદશીના રોજ સૂર્યોદય પહેલાં તલના પાણીથી સ્નાન કરવાની અને પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે. આ તિથિએ સ્નાન કર્યા પછી સફેદ કે પીળા વસ્ત્રો પહેરો અને સોળ પ્રકારની વસ્તુઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.