Abtak Media Google News

 

Advertisement

 

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજકોટ પોલીસ હમેશા જનતાનો મિત્ર રહી છે. ત્યારે ગત જાન્યુઆરી માસમાં તમામ પોલીસ મઠકમાંથી શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા દ્વારા પ્ર-નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ અશોકભાઈ રાવતભાઈ, ગાંધીગ્રામ પોલીસ કોન્સ્ટેબલ અમીનભાઈ ગફારભાઈ, યુનિવર્સિટીના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જશુભા, તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ મનીષભાઈ રાયધનભાઈ, માલવીય નગર પોલીસ મથકના રોહિતભાઈ ધનસુખભાઈ, એ-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ સહદેવસિંહ અને ખાસ શાખાના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ શાંતિલાલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ પોલીસ કર્મચારીઓને જાન્યુઆરી માસ દરમિયાન પ્રશંસનીય અને વિશિષ્ટ કામગીરી બદલ ’કોપ ઓફ ધ મંથ’ એવોર્ડ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.