Abtak Media Google News

લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદીર આજે વિશ્વ વિખ્યાત બન્યું છે. કાગવડ ખાતે ખોડલધામ મંદીરે માઁ ખોડલા દર્શન કરવા માટે દેશભરાંથી ભાવિકો આવી રહ્યા છે. અહીં ખાસ રજા અને તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં ભકતજનો દર્શનાર્થે આવે છે.

Advertisement

ત્યારે ખોડલધામના સ્વયંસેવકો ભાવિકો કોઇ મુશ્કેલી ના પડે એ માટે સતત સેવા આપી રહ્યા છે. સાથે સાથે ટ્રાફીકથી લઇને બીજી બધી વ્યવસ્થામા વિરપુર પોલીસ સ્ટેશનના જવાનોનો સહયોગ સતત મળતો રહે તે વિરપુર પોલીસ કર્મીઓની ખોડલધામ મંદીરે સેવા બદલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં મંદિરે સતત સેવારત રહેતા વિરપુર પોલીસ સ્ટેશનના કર્મચારીના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાગવડ મંદીર ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે વિરપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.એસ.આઇ. અને કોન્સ્ટેબલનું સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.