Abtak Media Google News

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે હોમિયોપેથિક અને એકયુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને કાયમી ધોરણે સાજા કરવાના ભાગરૂપે તાજેતરમાં નિદાન કેમ્પ યોજાયો હતો.

આ તકે વેપારી અગ્રણી દુર્લભજીભાઈ તન્ના, વિવેકાનંદ સેવા સમિતિવાળા જે.ડી. ઉપાધ્યાય, વેલ્યુઅર દિલીપભાઈ ચંદારાણા, વિકલાંગ ટ્રસ્ટવાળા શૈલેષભાઈ પંડયા, જૈન અગ્રણી વિજયભાઈ શાહ, જીજ્ઞાબેન વડેરા, અમિષાબેન કકકડ, કામનાથ મહાદેવ મંદિરના સંચાલક પ્રિયવદનભાઈ કકકડ, લક્ષ્મીદાસભાઈ ચૌહાણ, ભોલા મહારાજ વિગેરે હાજર રહ્યા હતા. કેમ્પમાં હોમીઓપેથીના ૪૨ તથા એકયુપ્રેસરના ૫૩ મળી કુલ ૯૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે પ્રભુદાસભાઈ તન્ના કે.ડી.કારીઆ, મનુભાઈ ટાંક, ધૈર્ય રાજદેવ, બી.એલ.મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.