સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અથાલમાં આવેલી સુધીર પાવર લિમિટેડ દ્વારા કિલવણી નાકા જંકશનનું બ્યુટીફીકેશન કરાશે. જેના માટે વિધિવત પુજા અર્ચના સાથે શરૂઆત કરવામાં આવી. આ અવસર પર પ્રશાસનને અધિકારી કરણજીત વડોદરીયા સાથે કંપનીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. અહીં પૂજા-અર્ચના સાથે આ જંકશનના બ્યુટીફીકેશનનું કાર્ય શરૂ કરાયું. અહીં એક સર્કલ બનાવવામાં આવશે સાથે જ લાઈટની વ્યવસ્થા પણ કરાશે. કિલવણી નાકા જંકશનની સુંદરતા વધશે. આ અવસરે નગરપાલિકાના અધિકારી ભટ્ટ, કંપનીના યુસુફ ખાન સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા. જયાં કરણજીત વડોદરીયા સહિતના લોકોએ મુહૂર્ત કર્યું.
Trending
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ