Abtak Media Google News

વેચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર મગફળી લાવવાની એસએમએસથી જાણ કરાશે

ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. આ માટે જિલ્લાના 9 ખરીદ કેન્દ્ર પરથી  પ્રતિમણ રૂ. 1120ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.આગામી તા. 9 થી તા.06-02-2021 સુધી, કુલ-90 દિવસ ચાલનારી આ ખરીદી જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આમ, કુલ-9 કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામાં આવશે.ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ પર એસએમએસથી વેચાણ માટે તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ત્યાર બાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર પર લઈ જવાની રહેશે. સાથે જ ખેડૂતો મગફળીના વેચાણ માટે આવે ત્યારે નોંધણી સ્લીપ પણ ફરજિયાત પણે લાવવાની રહેશે.

તેમજ ટેકાના ભાવે મગફળી વેચાણ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જિલ્લાકક્ષાએ કાર્યરત હેલ્પલાઈન નં.02876-285002 પર સંપર્ક કરવાનો રહેશે.ખેડૂતોને પોતાની જણસનો પોષણક્ષણ ભાવ મળે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2021-22 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારે નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ. લી. ની નિમણૂંક કરવામાં આવી છે.ઉપરાંત મગફળીના વેચાણ સમયે કોરાના મહામારીના પગલે કોવિડ-19 અંગેની માર્ગદર્શક સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.