Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  સ્પષ્ટ પણે જણાવ્યું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવી ને હરેક નાગરિકોને વાહનવ્યવહારની સારી અને સરળ સુવિધા મળે તે હેતુસર એસ.ટી.ને નફાનું સાધન નહીં, પણ સેવાનું સાધન બનાવ્યુ છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, નફો કરવો તે સરકારનું કામ નથી. સત્તા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેક્નોલોજી સાથેનાં નવીન સાધનો અને ટેક્નોલોજીનો વિનિયોગ કરી નાગરિક સેવાઓને વધુ સુદૃઢ બને તે દિશામાં કાર્યરત છીએ.

ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ રૂ. 50 કરોડના ખર્ચે નવનિર્મિત 20 બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂ.32.09 કરોડના ખર્ચે 3 બસ સ્ટેશન અને 2 સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું તથા નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી સહિત કુલ 131 જેટલી બસ અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (TEAM) વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.

Whatsapp Image 2019 06 22 At 1.48.02 Pmમુખ્યમંત્રીએ કહ્યું કે, નફો કરવો હોત, તો આજથી જ થઈ શકે, સરકાર ખોટ કરતાં રૂટ બંધ કરી, નફો કરતાં રૂટ પર બસ દોડાવી શકે પરંતુ અમારે એ કરવું નથી. અમારે છેવાડાના ગામ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવી છે. તેથી જ રાજ્યના દરેક ગામમાં એસ.ટી. બસની ઓછામાં ઓછી એક ટ્રીપ ઉપલબ્ધ બને, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે.

તેમણે કહ્યું કે, અગાઉ બસો વિશે જે નકારાત્મક વાત થતી હતી, તેમાં અમારી કાર્યપદ્ધતિ અને જન સેવા દાયિત્વ થી હવે સ્થિતિ બદલાઈ છે.

અમે નવી બસો, આધુનિક બસો અને વોલ્વો જેવી અત્યાધુનિક બસો નાગરિકોની સેવા માટે મૂકી છે. બસ સ્ટેશન પણ એરપોર્ટ જેવા સુવિધા સભર આધુનિક બનાવી, બસપોર્ટ બનાવ્યાં છે.

Whatsapp Image 2019 06 22 At 1.48.03 Pmઆવનારા દિવસોમાં રાજ્યમાં પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે ઇલેટ્રીક બસ નો પ્રયોગ કરવાની પણ નેમ મુખ્યમંત્રી એ દર્શાવી હતી.વિજયભાઈએ કહ્યું કે બહેતર વાહનવ્યવહારની સુવિધાઓ  સૌ ને સરળતા એ ઉપલબ્ધ બને, તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

દર વર્ષે એસ ટી નિગમમાં નવી બસો ઉમેરતા જવા સાથે આઇ એસ ઓ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બસો ઈન હાઉસ  પણ એસ ટી ના કર્મયોગીઓ વર્કશોપમાં તૈયાર કરે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

લોકોને બસની વધુ સારી સુવિધા મળે તે માટે બસમાં જી.પી.એસ. ટ્રેકર લગાવ્યાં છે, જેથી નાગરિકોને બસ ક્યાં છે અને ક્યારે પહોંચશે તેની રીઅલ ટાઇમ જાણકારી મળે તે પ્રકારની જી.પી એસ ટેક્નોલોજીનો વિનિયોગ કર્યો છે.

એસ.ટી.માં દરરોજ 25 લાખ લોકો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગો અને સ્વાતંત્ર્ય સૈનિકોને કન્સેશનની સુવિધા આપી છે. લગ્ન પ્રસંગે રૂ.1200 જેટલા ઓછા ભાડામાં ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો નેબસની સુવિધા ઉપલબ્ધ બનાવી છે. તાજેતરમાં ગુજરાત પર મંડરાયેલા વાયું વાવાઝોડાના સંકટમાં પણ દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાઈવાળા સલામત સ્થળે નાગરિકોને લઈ જવા માટે 200 એસટી બસ મૂકવામાં આવી હતી, તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આ તકે આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, એસ.ટી. ન માત્ર સારી સેવા, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત થનાર અને નવનિર્મિત બસ સ્ટેશન તેમજ સ્ટાફ કોલોની સહિતના 13 સ્થળે ઉપસ્થિત પદાધિકારીઓ અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું કે, રાજ્યમાં નવીન બનેલ બસસ્ટેશન બસપોર્ટ પ્રકારના બનાવવામાં આવ્યાં છે, ત્યારે આ બસ સ્ટેશનમાં ગંદકી ન થાય, લોકો પાનની પીચકારી મારીને ગંદકી ન ફેલાવે અને બસ સ્ટેશનને સ્વચ્છ અને ચોખ્ખું બનાવી રાખે તે આપણી સામૂહિક જવાબદારી છે.

Whatsapp Image 2019 06 22 At 1.48.04 Pm 2મુખ્યમંત્રીએ આ અવસરે બસને પ્રસ્થાન કરાવી, બસમાં ચઢીને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યની જનતાની પરિવહન સેવામાં અહર્નિશ સેવારત છે. સમાજજીવનની સમસ્યાઓને ધ્યાનમાં રાખે આધુનિક સેવાઓને આમેજ કરીને એસ.ટી.ની નવી-નવી સેવાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનાવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ આ તકે જણાવ્યું કે, રોજગાર માટે, સામાજિક વ્યવહાર માટે ગામડેથી શહેર અને શહેરથી ગામડે જવા પરિવહનની છેવાડાના નાગરિકોને વધુ સારી સગવડો મળે તે માટે રાજક્ષ્ય સરકાનર કટિબદ્ધ છે. તેનું કારણ છે કે કે આજે એક સાથે અનેક બસ સ્ટેશનોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું છે તથા નવીન બસો જનતાની સેવામાં મૂકાઈ છે. સામાન્ય લોકોની સગવડોને ધ્યાનમાં રાખી જે સગવડો ઊભી કરાઈ છે, તે નાના માણસો માટે સરકાર કેટલી સંવેદનશીલ છે, તેની પ્રત્યક્ષ અનુભૂતિ છે.

એસ.ટી. નિગમના આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ડૉ. શ્રીમતિ ભારતીબેન શ્યાળ, ભાવનગર મહાપાલિકાના મેયર મનહરભાઈ મોરી,  જિલ્લા પંચાયતનાં પ્રમુખ વક્તુબેન મકવાણા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ નાકરાણી, આર.સી. મકવાણા, મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતિ સુનયના તોમર, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રીમતિ સોનલ મિશ્રા, કલેક્ટરશ્રી હર્ષદ પટેલ, ભાવનગર મહાપાલિકા કમિશનરશ્રી એમ.એ. ગાંધી, જિલ્લાના હોદ્દેદારો તથા પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.