Abtak Media Google News

મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં રામ નવમીના અવસર પર એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની અંદર આવેલા કૂવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકોનો કૂવામાં ગરકાવ થયો હતો.

કૂવામાં પડેલા લોકોને બચાવવા માટે હાલ રેસક્યું કામગીરી ચાલી રહી છે. અકસ્માત બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. કેટલાક લોકોને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં  આવ્યા હતા.

અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક શું થયું તે કોઈને સમજાયું નહીં. તેમ છતાં સ્થાનિક લોકો સક્રિય બન્યા હતા અને દસ લોકોને બહાર કાઢ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.