Abtak Media Google News

“આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અને “મુખ્યમંત્રી માં અમૃતમ/માં વાત્સલ્ય યોજના”ના યોજાનાર મેગા કેમ્પ અંતર્ગત સ્થળ મુલાકાત લેતા RMCના પદાધિકારીઓ અને અધિકારીઓ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અને “મુખ્યમંત્રી માં અમૃતમ/માં વાત્સલ્ય યોજના”ના યોજાનાર મેગા કેમ્પની કામગીરી પુરજોસમાં ચાલી રહેલ છે જેના અનુસંધાને આજ  રોજ ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડે.કમિશનર સી.કે.નંદાણી, ડૉ.ચુનારા વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ હતી. આ સ્થળ મુલાકાત અંતર્ગત પદાધિકારીઓએ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.