Abtak Media Google News

નવ વર્ષની સિઘ્ધી અને સમાજના વિવિધ વર્ગો માટે જાહેર કરાવેલી યોજના અંગે આભાર માનશે – શુભેચ્છા આપશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે તાજેતરમાં નવ વર્ષ પૂર્ણ કર્યા છે. ‘નૌ સાલ બેમિસાલ’ અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં જાજરમાન ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રના મંત્રીઓ અલગ અલગ સ્થળોએ જાહેરસભા સંબોધી મોદી સરકારની ઉપલબ્ધીના ગુણગાન ગાય રહ્યા છે. દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન પદે નવ વર્ષ પૂર્ણ કરતા શુભેચ્છા આપતા સવા લાખ પોસ્ટ કાર્ડ લખવામાં આવશે.

Advertisement

આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કોબા’ ખાતે એક પત્રકાર પરિષદમાં આ અંગે વિસ્તૃત માહીતી આપતા પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અઘ્યક્ષ મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે તાજેતરમાં નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ અવસરે તેઓને શુભેચ્છા આપવા માટે બક્ષીપંચ મોરચા દ્વારા સવા લાખ પોસ્ટ કાર્ડ દિલ્હી મોકલવામાં આવશે રાજયમાં અલગ અલગ જિલ્લા અને મહાનગરો ખાતેથી આ કાર્યક્રમ યોજાશે.

છેલ્લા ત્રણ માસથી ભાજપ દ્વારા નૌ સાલ બે મિસાલ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. લોકસભાની ચુંટણીના આડે હવે આઠ થી નવ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે સતત ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં મોદી સરકાર બને તે માટે ભાજપ દ્વારા પુરજોશમાં ચુંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.