Abtak Media Google News

કાલાવડ ખાતે લેઉવા પટેલ સમાજ ભવનનાં નિર્માણ અને પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અન્ન અને નાગરીક પુરવઠાનાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને કૃષિ મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજને શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે પણ આગળ વધવા અને સમાજનાં યુવાનોને શકિતવાન બનવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, પ્રવિણભાઈ માધાણી, કાલાવડ નગરપાલિકા પ્રમુખ મુકતાબેન ફળદુ, વિજયભાઈ ફળદુ, કાલાવડ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટનાં પ્રમુખ ભરતભાઈ એન.ઠેસીયા (પટેલ જવેલર્સવાળા) તેમજ ટ્રસ્ટી ધી‚ભાઈ એસ.વસોયા (સુરત), મનસુખભાઈ સાવલીયા (વાપી), હિતેષભાઈ અકબરી, હિતેશભાઈ સાંગાણી તેમજ સમાજનાં અગ્રણી જે.ટી.પટેલ, નાનજીભાઈ ચોવટીયા, કશ્યપભાઈ વૈષ્ણવ, જમનભાઈ તારપરા, વલ્લભભાઈ સાંાગણી, ગાંડુભાઈ ડાંગરીયા, વલ્લભભાઈ વાગડીયા, વલ્લભભાઈ રાખોલીયા, વિઠ્ઠલભાઈ સખીયા, લાખાભાઈ વેકરીયા, રાજુભાઈ મારવિયા સહિત સમાજનાં આગેવાનો, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.