Abtak Media Google News

2037 સુધીમાં દર 15 સેકન્ડે એક નવા એસીની ઉભી થશે જરૂરિયાત

ગરમી તોબા પોકાર આવી દે તેવી પરિસ્થિતિને હવે ઝાઝી વાર નથી વધતી જતી ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા ને જો કાબુમાં રાખવામાં નહીં આવે તો માનવ સમાજ માટે સ્વર્ગ ગણાતી પૃથ્વી પર રહેવું વસવું પડી જાય તેવા અણસાર આવી રહ્યા છે દિવસે દિવસે વધતા જત  તાપમાનના કારણે સામાન્ય વાતાવરણમાં પણ એર કન્ડિશન ની જરૂરિયાત ઊભી થાય તેની આગાહી કરવામાં આવી છે આગામી 2037 સુધીમાં દર 15 સેક્ધડે એક નવા એર કન્ડિશનની જરૂરિયાત ઊભી થાય તેવી ગરમી પડશે અને ટાઢકની જરૂરિયાત ઊભી થશે પૃથ્વી પર.હવામાન પરિવર્તનને કારણે સામાન્ય તાપમાનમાં વધારો થવાથી ભારતમાં 2037 સુધીમાં કોઈને એસી વગર નહીં ચાલે તેવી પરિસ્થિતિ ઊભી થઈ જશે અને એર કન્ડિશન ની માંગ આઠ ગણી વધશે પરિસ્થિતિ એવી થઈ જશે 15 સેક્ધડે નવા એર-કંડિશનરની માંગ થશે, વિશ્વ બેંકદ્વારા શરૂ કરાયેલા અહેવાલ મુજબ. વીસ વર્ષોમાં વાર્ષિક ગ્રીનહાઉસ ઇંધણત્સર્જનમાં 435% ના અપેક્ષિત વધારા સાથે, આબોહવાની કૃત્રિમ રીતે ઠંડી રાખવાના પર્યાશો પણ મોંઘા પડશે અને 2040સુધીમાં 1.6 ટ્રીલીયન અમેરિકન ડોલરનો ખર્ચ માત્ર ને માત્ર કુર્તીમ રીતે વાતાવરણને ઠંડુ રાખવામાં જ કરવો પડશે

2030 સુધીમાં સમગ્ર દેશમાં 16 થી 20 કરોડ લોકોને ગરમી અંગેની પરેશાની નો સામનો કરવો પડશે અને વિકર્ણના કારણે ઊભી થનારી તકલીફથી બચવા માટે એર કન્ડિશન ની જરૂર પડશે ગરમી ના કારણે માત્ર વાતાવરણમાં જ નહીં આર્થિક રીતે પણ મોટા પડકારો ઊભા થશે  બેરોજગારી પણ વધશે . .  સમગ્ર પરિવહન દરમિયાન ગરમીને કારણે ભોજનની વર્તમાન ખોટ વાર્ષિક 13 બિલિયન થઈ ગઈ છે.વધારાના પાવર  આગામી વીસ વર્ષોમાં અપેક્ષિત કાર્બન ડાયોક્સાઇડ ના પ્રમાણમાં વધારે થવાથી મુશ્કેલીઓ વધે તેવું માનવામાં આવી રહ્યું છે.ભારતની ઠંડકની વ્યૂહરચના જીવન અને આજીવિકા બચાવવામાં, કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકે છે અને સાથોસાથ ભારતને ગ્રીન કૂલિંગ મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાન આપી શકે છે.

ભારત કૂલિંગ એક્શન પ્લાન  મુજબ વ્યક્તિઓને વધતા તાપમાન સાથે અનુકૂલન કરવામાં મદદ કરવા માટે રાષ્ટ્ર પહેલેથી જ નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે, તેમ છતાં, વિશ્વ બેંકના અહેવાલમાં ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં નવા રોકાણોને મદદ કરવા માટે હતું, વાતાવરણમાં તાપમાન વધતા કૃત્રિમ રીતે તાપમાન ઘટાડવાના પ્રયાસો ને પણ વેગ આપવો જ પડશે અને લોકોને ગરમીથી બચવા માટે એર કન્ડિશન જેવી પ્રણાલી સ્વીકારવા સિવાય છૂટકો નહીં રહે આગામી દસકામાં ઘરમાં હોવાથી લોકો ત્રાહિમામ થઈ જશે અને એસી વગર કોઈને પણ નહીં ચાલે  વિવિધ ક્ષેત્રોમાં કૃતિમ રીતે ટાઢક મેળવવામાં તેના મકાનો ઉદ્યોગો થી લઈને ખેતી અને ખાસ કરીને દવાની જાળવણી માટે તાપમાનના વધારા સામે રક્ષણ મેળવવા માટે એર કન્ડિશન આવશ્યક બની જશે અત્યાર સુધી એર કન્ડિશન એ વૈભવનું પ્રતિક માનવામાં આવતું હતું પરંતુ હવે ભારતમાં પણ આખા દેશોની જેમ એર કન્ડિશન એ જરૂરી બની જશે અને દર  સેક્ધડે એક એરકુંડીસર ની જરૂરિયાત સુધી આપણે 2037 સુધીમાં પહોંચી જશું , જેમાં ઇમારતોમાં ઇન્ડોર કૂલિંગ અને કોલ્ડ સ્ટોરેજચેઇન અને કૃષિ અને પ્રિસ્ક્રિપ્શન દવાઓના ક્ષેત્રમાં રેફ્રિજરેશન અને પેસેન્જર પરિવહનમાં એર-કન્ડિશનિંગનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.