Abtak Media Google News

દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક જામનગર રોડ પર ગુરૂવારે કાર અને બોલેરો પીક અપ વાન વચ્ચે સર્જાયેલી ભિષણ ટકકરમાં સાતેક લોકોને ઇજા પહોચડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એક ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદમાં લઇ જવાયો હોવાનુ બહાર આવ્યુ છે.

Advertisement

અકસ્માતના બનાવની સુમાહિતગાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળીયા નજીક જામનગર રોડ પર એનઆરઆઇ કંપનીની ગોલાઇ પાસના રોડ પર ગુરૂવારે જામનગર તરફ જતી એક કાર સામેથી આવતી બોલેરો પીક અપ વાન સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ ટકકરમાં કારના આગળના ભાગનો મહદઅંશે ભુકકો બોલી ગયો હતો.જયારે બોલેરો પીક અપ વાનમાં સવાર સાતેક લોકોને તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.

અકસ્માતના આ બનાવના પગલે સતત ધમધમતા ઘોરીમાર્ગ પર થોડો સમય ટ્રાફિક જામ થયો હતો.જોકે,પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા બાદ વાહન વ્યવહાર પુર્વવત થયો હતો.અકસ્માતના આ બનાવમાં ઘવાયેલા એક ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં ખસેડાયો હોવાનુ જાણવા મળ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.