Abtak Media Google News

અંબાજીના દર્શન કરીને અમદાવાદ જતા હતા ત્યારે કારને અકસ્માત નડ્યો.અંબાજીથી હડાદ માર્ગ પર દર્શન કરી પરત ફરતાં અમદાવાદના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અંબાજીના દર્શન કરીને અમદાવાદ જતા હતા ત્યારે કારનું સ્ટિયરિંગ લોક થતાં કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેમાં એક મહિલા અને બાળકીનું મોત નિપજ્યું હતું.

Advertisement
આ અકસ્માતને પગલે કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો. ઘાયલોને અંબાજી કોટેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને 5 ઘાયલ લોકોને પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.